તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્યપદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે ? શા માટે ?
તૈલી તેમજ ચરબીયુક્ત ખાદ્યપદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે કારણ કે નાઇટ્રોજન એ ઑક્સિજનની સરખામણીમાં નિષ્ક્રિય વાયુ છે.
જો ખાદ્ય પદાર્થોમાં તેલ અથવા ચરબી હાજર હોય તો તેનું હવામાંના ઑક્સિજન વડે ઑક્સિડેશન થાય છે અને ત્યારે ખોરું થઈ જાય છે. પરંતુ આ પ્રક્રિયાને નાઇટ્રોજનની હાજરીથી બચાવી શકાય છે.
આજ કારણથી બટાકાની ચિપ્સનું ઑક્સિડેશન થતું અટકાવવા માટે તેમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુમાં તેઓનું પેકિંગ કરવામાં આવે છે.
''ખોરાપણું'' ને એક ઉદાહરણ સહિત સમજાવો.
એક ચળકતા કથ્થાઈ રંગના તત્ત્વ $'X'$ ને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે, તત્ત્વ $'X'$ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો.
નીચેના માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો અને તે દરેક કિસ્સામાં પ્રક્રિયાનો પ્રકાર ઓળખો :
$(a)$ પોટેશિયમ બ્રોમાઇડ$(aq)$ $+$ બૅરિયમ આયોડાઇડ(aq) $\to $ પોટેશિયમ આયોડાઇડ$(aq)$ $+$ બેરિયમ બ્રોમાઇડ$(aq)$
$(b)$ ઝિંક કાર્બોનેટ$(s)$ $\to $ ઝિંક ઑક્સાઇડ$(s)$ $+$ કાર્બન ડાયૉક્સાઇડ$(g)$
$(c)$ હાઇડ્રોજન$(g)$ $+$ ક્લોરિન$(g)$ $\to $ હાઇડ્રોજન ક્લોરાઇડ$(g)$
$(d)$ મૅગ્નેશિયમ$(s)$ $+$ હાઇડ્રોક્લોરિક ઍસિડ$(aq)$ $\to $ મૅગ્નેશિયમ ક્લોરાઇડ$(aq)$ $+$ હાઇડ્રોજન $(g) $
સિલ્વરના શુદ્ધીકરણમાં કૉપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા મારફતે થાય છે. તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા લખો.
એવી વિઘટન પ્રક્રિયાઓના એક-એક સમીકરણ દર્શાવો કે જેમાં ઊર્જા-ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે.